સ્થાનિક લોકો અને રેસ્ક્યૂ ટીમની મદદથી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
👉 હાલમાં આ બાબતે હજુ સ્પષ્ટ માહિતી આવી નથી કે:
યુવાન અકસ્મિક રીતે કૂવામાં પડ્યો કે
તેમાં બીજુ કોઈ કારણ છે.
પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.જામનગર, ખંભાળિયા ફાયરબ્રિગેડ ટીમ દોડી
ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં આવેલા એક ખેતરમાં કોઈ વ્યક્તિ પડી ગયો હોવાની જાણકારી ખંભાળિયા ફાયરબ્રિગેડને આપવામાં આવ્યા પછી જામનગરથી પણ ફાયરબ્રિગેડની ટીમ નિમેષ પ્રજાપતિ સહિતના ફાયરના જવાનો સાથે બજાણા ધસી ગઈ હતી. ત્યાં આવેલા કૂવામાં સીડી ઉતારી ફાયરના જવાનોએ શરૂ કરેલી શોધખોળમાં અંદરથી રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા (ઉ.વ.૩૬) નામના યુવાન મળી આવ્યા હતા. આ યુવાનને બહાર કાઢી લેવાયા પછી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પરિવારનો સંપર્ક કર્યો છે.



ટિપ્પણીઓ નથી: