પીએમ મોદીનો મોટો નિર્ણય: હવે અડધી થશે કાફલાની ગાડીઓ, EV પર પણ ખાસ ભાર
કચ્છમાં પેટ્રોલ-ડીઝલની કાળાબજારી: ગ્રામિણ વિસ્તારોમાં લોકો પાસેથી ખુલ્લેઆમ વધારાના ભાવ વસૂલાતા
ઈરાનની 90% યુરેનિયમ સંવર્ધનની ધમકીથી દુનિયામાં ચિંતા, શું ફરી ભભૂકી શકે અમેરિકા-ઈરાન યુદ્ધ?
75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ મંદિર ખાતે અમૃત પર્વની ભવ્ય ઉજવણી, શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક
આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં બેદરકારીનો વિવાદ: જામનગરમાં બે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, એનએસયુઆઈની રજૂઆત
ગોત્રી ગાર્ડનમાં યુવતી પર લગ્ન માટે દબાણ: સમીમ ખાનને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો
અમેરિકા-ઇરાન યુદ્ધની અસરથી ભારત પર મોંઘવારીનો ખતરો! GDP વિકાસ દરમાં ઘટાડાની ચેતવણી
સોનાની ખરીદીમાં ઘટાડો દેશ માટે કેમ જરૂરી? જાણો અર્થતંત્ર પર તેની મોટી અસર
Privacy Policy
ઠેબા ચોકડી ફરી બની અકસ્માતનું કેન્દ્ર: બેફામ ટ્રકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા, યુવાન ગંભીર ઈજાગ્રસ્ત

ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે

ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે. આ કાયદો 1955માં ભારત સરકારે લાગુ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ એ છે કે લોકો સુધી જરૂરી ચીજો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય કિંમતે પહોંચે.
ભારતમાં ક્યારેક વેપારીઓ વધારે નફો કમાવવા માટે અનાજ, દાળ, ખાંડ જેવી વસ્તુઓનો મોટો જથ્થો સંગ્રહ કરી લે છે. આને હોર્ડિંગ (સંગ્રહ) કહેવાય છે. જ્યારે બજારમાં વસ્તુઓ ઓછા પ્રમાણમાં દેખાય છે ત્યારે તેમની કિંમત વધી જાય છે. આ પરિસ્થિતિને રોકવા માટે સરકારે Essential Commodities Act લાગુ કર્યો.
આ કાયદા હેઠળ સરકાર કેટલીક જરૂરી વસ્તુઓને “Essential Commodities” તરીકે જાહેર કરે છે. તેમાં સામાન્ય રીતે ચોખા, ગહું, દાળ, ખાદ્ય તેલ, ખાંડ, પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ખાતર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જો સરકારને લાગે કે કોઈ વેપારી વધુ જથ્થો સંગ્રહ કરી રહ્યો છે અથવા કાળાબજારી કરી રહ્યો છે તો સરકાર તેના પર કાર્યવાહી કરી શકે છે.
Essential Commodities Act સરકારને ઘણા અધિકારો આપે છે. સરકાર જરૂર પડે ત્યારે સ્ટોક લિમિટ નક્કી કરી શકે છે, એટલે કે કોઈ વેપારી કેટલી વસ્તુ સંગ્રહ કરી શકે તેની મર્યાદા નક્કી થાય છે. ઉપરાંત સરકાર ભાવ નિયંત્રણ પણ કરી શકે છે જેથી લોકો ને વધારે કિંમતે વસ્તુઓ ખરીદવી ન પડે.સમય પ્રમાણે આ કાયદામાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ખેતી અને બજાર સુધારણા માટે કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. છતાં પણ જ્યારે બજારમાં અછત અથવા ભાવમાં ખૂબ વધારો થાય ત્યારે સરકાર ફરીથી આ કાયદાનો ઉપયોગ કરી શકે છે.
આ રીતે Essential Commodities Act દેશના સામાન્ય લોકો માટે ખૂબ મહત્વનો કાયદો છે. તે બજારમાં સંતુલન જાળવી રાખે છે અને લોકો સુધી જરૂરી વસ્તુઓ યોગ્ય કિંમતે પહોંચે તેની ખાતરી આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ