Privacy Policy
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સંકેતે ક્રૂડ ઓઇલ સસ્તુ, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ યથાવત
 દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
ઈરાનની 90% યુરેનિયમ સંવર્ધનની ધમકીથી દુનિયામાં ચિંતા, શું ફરી ભભૂકી શકે અમેરિકા-ઈરાન યુદ્ધ?
આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં બેદરકારીનો વિવાદ: જામનગરમાં બે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, એનએસયુઆઈની રજૂઆત
એક વર્ષ સોનાથી દૂર રહેવાની અપીલ: પીએમ મોદીના સંદેશથી ગુજરાતના ઝવેરી બજારમાં શું પડશે અસર?
Contact Us

ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: 24 એપ્રિલથી તાપમાન 42°C પાર, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનો ત્રાસ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, 24 એપ્રિલથી રાજ્યમાં તાપમાનમાં પ્રચંડ વધારો જોવા મળશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી શકે છે. ખાસ કરીને પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળશે. આ વિસ્તારોમાં લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની શકે છે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે જૂનાગઢ અને કચ્છ વિસ્તારમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધવાના કારણે બફારો વધશે, જેના કારણે ઉકળાટનો અનુભવ થશે.
હવામાનમાં ફેરફાર અંગે વાત કરતા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ બદલાવ ગરમીમાંથી થોડી રાહત આપી શકે છે.
આગામી સમયગાળા અંગે તેમણે ચેતવણી આપતા કહ્યું કે 11 થી 20 મે દરમિયાન ઈરાન તરફથી કાળી આંધી આવવાની શક્યતા છે. તેજ પવનના કારણે ખાસ કરીને કાચા મકાનોને નુકસાન થઈ શકે છે.
તેમજ 15 મે પછી બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાત સર્જાવાની શક્યતા છે. સાથે જ 17 મે થી 20 જૂન દરમિયાન અરબ સાગરમાં પણ વાવાઝોડાના સંકેતો જોવા મળી રહ્યા છે. 23 મે બાદ દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સુરક્ષા પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ