ગીર જંગલમાં વધુ એક અદભુત અને હૃદયસ્પર્શી
ઘટના બની જ્યાં સમય સૂચકતા અને સતર્કતાના
કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ પ્રાથમિક
જાણકારી પ્રમાણે આ ઘટના ગીર જંગલ
વિસ્તારમાં આવેલા સાસણ કાસિયાનેસ વચ્ચે
હોવાનું કહેવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે
એક સિંહણ પોતાના ત્રણ સિંહબાળ સાથે રેલવે
ટ્રેક પર પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન
આવવાનો સમય નજીક હતો જો કે ત્યાં હાજર વન
કર્મીઓ અને ટ્રેકરોએ સમયસર પરિસ્થિતિ
સમજીને ટ્રેનને સૂચના આપી હતી. આ સાથે જ
ટ્રેનના પાયલટે પણ સિંહણ અને સિંહબાળને
ટ્રેક પર જોઈ તરત જ ટ્રેન ઊભી રાખી હતી.
પરિણામે એક મોટી દુર્ઘટના ટળી અને તમામ
સિંહો સુરક્ષિત રીતે જંગલમાં પરત ફરી ગયા.
આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર
વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો
ક્યારનો છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી
નથી. તેમ છતાં સિંહણ અને બાળનો જીવ બચી
જતા શે પ્રેમીઓમાં આનંદ અને રાહતનો માહોલ
જોવા મળી રહ્યો છે. તો પાયલોટ અને વન
વિભાગના કર્મીઓની સતર્કતાને સૌ કોઈએ
બિરદાવી.
0 ટિપ્પણીઓ