Contact Us
આજના મુખ્ય સમાચાર – 15 માર્ચ 2026
પાણીપતમાં બનશે ભારતનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ. 2027 સુધી ચાલુ થાઈ જાશે
મેરિકા–ઈરાન વચ્ચે 14 દિવસનું સીઝફાયર: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલશે, તેલ-ગેસના જહાજોને રાહત
આજના મુખ્ય સમાચાર – 16 માર્ચ 2026
આજના મુખ્ય સમાચાર – ભારત અને વિશ્વના મોટા અપડેટ (10 માર્ચ 2026)
8 મે થી Instagram ચેટમાં મોટો ફેરફાર, યુઝર્સ માટે મહત્વની માહિતી
ઇન્ડિયા બિઝનેસ: ઝડપથી વધતું અર્થતંત્ર
ભારતમાં લોકો માટે જરૂરી વસ્તુઓની અછત ન પડે અને બજારમાં ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે Essential Commodities Act (ECA) નામનો મહત્વનો કાયદો બનાવ્યો છે
ગેસ સિલિન્ડરની અછતથી નાના વેપારીઓ મુશ્કેલીમાં

ભારતમાં 1 એપ્રિલ 2026 થી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાં સરેરાશ 3% થી 5% સુધી વધારો

ભારતમાં 1 એપ્રિલ 2026 થી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાં સરેરાશ 3% થી 5% સુધી વધારો કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકોને દરેક ટોલ પ્લાઝા પર ₹5 થી ₹20 સુધી વધુ ચૂકવવું પડશે. આવતીકાલથી નેશનલ હાઈ-વે પર ટોલકટેસમાં પાંચ ટકાનો વધારો થશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે અન્ય કેટલાક ફેરફારો પણ સામાન્ય જનતાને સીધી અસર કરશે.

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકોના ખિસ્સા પર વધારાનો પડવાનો સરકારે ૧લી એપ્રિલ, ૨૦૨૬થી દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરોમાં અંદાજે પાંચ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ખાનગી વાહન ચાલકો માટે ઉપલબ્ધ ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસ (જેમાં ૨૦૦ ટ્રિપની સુવિધા હોય છે)માં પણ નવા નાણાકીય વર્ષ (૧લી એપ્રિલ) થી ૭૫ રૂપિયા વધારવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાંની સાથે જ દરરોજ મુસાફરી કરતા મુસાફરો, ખાનગી વાહન ચાલકો અને પરિવહનવ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વધુ ચૂકવણું કરવું પડશે. સરકાર દ્વારા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વધારો રસ્તાની જાળવણી, અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.

ટોલ ટેક્સ વધવાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ દરરોજ કામકાજ કે વ્યાપાર અર્થે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માલભાડામાં વધારો થવાને કારણે ટોલ ટેક્સના વધારાની અસર સામાન્ય જનતા પર પણ પડી શકે છે.

દેશમાં કાલે પહેલી એપ્રિલથી શરૂ થનારું નવુંનાણાકીય વર્ષ ફક્ત કેલેન્ડરમાં જ નહીં પણ લોકોના નાણાકીય અને બેન્કિંગ આદતમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે.

સૌથી મોટો ફેરફાર ‘નવા આવકવેરા કાયદા ૨૦૨૫'ના રૂપમાં આવી રહ્યો છે જેદાયકાઓ જૂના ૧૯૬૧ના કાયદાને બદલેશે. નવા લેબર-કોડ હેઠળ કંપનીઓએ હવે કર્મચારીનો મૂળ પગાર તેના કુલ સીટીસી (કોસ્ટ ટુ કંપની)ના ઓછામાં ઓછા ૫૦ ૫૦ ટકા રાખવો પડશે. આનો અર્થ એ છે કે પ્રોવિડન્ટ ફન્ડપીએફ) અને ગ્રેચ્યુઈટી-યોગદાનમાં વધારો થશે. આનાથી રિટાયરમેન્ટ બચતમાં વધારો થશે, જ્યારે માસિક ટેક-હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે. જૂની ટેક્સ-પ્રણાલી હેઠળના લોકો માટે હાઉસ રેન્ટ અલાવન્સ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ