પર શેખપાટ ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે એક બોલેરો આગળ જતા ટ્રકના ઠાઠામાં ઘૂસતા ચાર મહિલાને ઈજા થઈ છે. કેટલાક મહિલાઓ પિતૃકાર્ય માટે બાલાચડી જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બે મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકનાવરજુબેન પાલાભાઈ પંડત તેમજ વાલીબેન, રામીબેન, હીમાબેન, લાશુબેન, માકુબેન, સભાઈબેન, પાબીબેન લાલપુર તાલુકાના રાસંગપર ગામથી ગઈકાલે કરણ રાયમલભાઈ પંડતની જીજે-૩૭૮ી ૬૪૬૭ નંબરની બોલેરોમાં બાલાચડી પિતૃકાર્ય માટે જવા રવાના
થયા હતા. આ વાહન જ્યારે સાડા આઠેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરશેખપાટ ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે તેના ચાલકે આગળ દોડયા જતા જીજે-૧૦-ડબલ્યુ ૫૬૬૧ નંબરના ટ્રકની પાછળ બોલેરો દીધી હતી. અકસ્માતમાં રાધિકાબેનને ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે વરજુબેન, રામીબેન, વાલીબેનને ઈજા થઈ છે. રામીબેન તથા વાલીબેનને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા છે. પંચકોશી એ ડિવિઝનમાં વરજુબેન પંડતે ફરિયાદ નોંધાવી છે.



ટિપ્પણીઓ નથી: