₹5 ના સિક્કા કેમ ઓછા દેખાય છે?
₹5 ના સિક્કા ઓછા દેખાવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સૌથી પહેલા તો લોકો સિક્કા ભેગા કરીને રાખે છે.આવું નો કરું જોય ઘણા ઘરોમાં ગુલક અથવા બોક્સમાં સિક્કા ભેગા કરવાની ટેવ હોય છે. જ્યારે સિક્કા બજારમાં ફરીથી વપરાતા નથી, ત્યારે તે ઓછા દેખાય છે.
બીજું એક કારણ એ છે કે કેટલાક કારીગરો સિક્કાની ધાતુનો ઉપયોગ અન્ય કામમાં કરે છે. ₹5 ના સિક્કા સ્ટીલ અથવા અન્ય ધાતુથી બનેલા હોય છે. કેટલાક લોકો તેને ઓગાળી નાના મશીનના ભાગો, વોશર અથવા હસ્તકલા વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. આ કારણથી પણ સિક્કા બજારમાં ઓછા રહે છે.
₹10 ના સિક્કા વિશે ગેરસમજ
₹10 ના સિક્કા વિશે દેશમાં ઘણા સમયથી ગેરસમજ ફેલાઈ છે. કેટલાક લોકો માને છે કે ₹10 ના સિક્કા નકલી છે અથવા સરકારએ તેને બંધ કરી દીધા છે. પરંતુ આ વાત સંપૂર્ણ ખોટી છે.
ભારતની કેન્દ્રીય બેંક Reserve Bank of India ઘણા વખત સ્પષ્ટ કરી ચૂકી છે કે ₹10 ના બધા સિક્કા સંપૂર્ણ રીતે કાયદેસર છે અને દેશભરમાં ચલણમાં માન્ય છે.
₹10 ના સિક્કા ભારતમાં અલગ-અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા છે. લગભગ 14 જેટલી અલગ ડિઝાઇન બજારમાં જોવા મળે છે. જ્યારે લોકો અલગ ડિઝાઇન જોઈને ગૂંચવાઈ ગયા અને કેટલાકે તેને નકલી સમજી લીધા. આ ગેરસમજને કારણે ઘણા દુકાનદારો સિક્કા લેતા નથી.
ડિજિટલ પેમેન્ટનો વધારો
આજકાલ દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ વધી ગયું છે. લોકો હવે UPI, મોબાઇલ એપ અને ઓનલાઇન પેમેન્ટનો વધારે ઉપયોગ કરે છે. તેથી પણ સિક્કાનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થયો છે.
સિક્કા હજુ પણ સંપૂર્ણ માન્ય
સરળ શબ્દોમાં કહીએ તો ₹5 અને ₹10 ના સિક્કા હજુ પણ સંપૂર્ણ રીતે માન્ય છે અને સરકારએ તેને બંધ કર્યા નથી. જો કોઈ દુકાનદાર આ સિક્કા લેવા ઇન્કાર કરે તો તે કાયદેસર રીતે યોગ્ય નથી.
નિષ્કર્ષ
₹5 અને ₹10 ના સિક્કા બજારમાં ઓછા દેખાવા પાછળ લોકો દ્વારા સિક્કા ભેગા કરીને રાખવા, ધાતુનો અન્ય ઉપયોગ, ગેરસમજ અને ડિજિટલ પેમેન્ટ જેવા કારણો જવાબદાર છે. પરંતુ હકીકત એ છે કે આ સિક્કા આજે પણ ભારતના ચલણનો મહત્વનો ભાગ છે.



ટિપ્પણીઓ નથી: